ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગણપતરામ-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ગણપતરામ-૨ [               ]: જ્ઞાતિએ બ્રાહ્મણ. સિસોદરા(જિ. ભરૂચ)ના વતની. એમનાં ગુરુસ્મરણનાં ૧૪ પદો (મુ.) તથા કેટલીક વાર જ્ઞાનની બારમાસી તરીકે ઓળખાવાયેલા ૧૪ કડીના ‘દ્વાદશ-મહિના’ (મુ.)માં બ્રહ્મજ્ઞાન કરાવનાર ગુરુનો મહિમા ભાવભક્તિપૂર્વક વર્ણવાયો છે. કવિનાં પદોમાં થોડીક હિન્દી ભાષાની છાંટ આવે છે અને ૯ પદો હોરીનાં છે. આથી, કેટલાક સંદર્ભોમાં આ કવિને નામે નોંધાયેલ વેદાન્તમાં પદો અને હોરીઓ ઉપર્યુક્ત પદો જ હોવાની સંભાવના છે. કૃતિ : બૃકાદોહન:૮. સંદર્ભ : ૧. ગુજૂહકીકત; ૨. પ્રાકકૃતિઓ. [ર.સો.]