ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગદાધરદાસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ગદાધરદાસ [ઈ.૧૭૦૭ સુધીમાં] : ઓખા-અનિરુદ્ધની કથાને સંક્ષેપમાં વર્ણવતા અને નાકરની ‘ઓખાહરણ’ની પ્રત (લે.ઈ.૧૭૦૭)માં ઉમેરાયેલાં મળતાં ૧ પદ (મુ.) તથા કૃષ્ણભક્તિનાં કેટલાંક પદ (૧ મુ.)ના કર્તા. જાણીતા હિંદી કવિ ગદાધરદાસની કૃતિઓ ગુજરાતીમાં ઊતરી આવી હોય એવી સંભાવના પણ નકારી ન શકાય, કેમ કે ગુજરાતી હસ્તપ્રતોની પોથીઓમાં ગદાધરની હિંદી કૃતિઓ પણ મળે છે. કૃતિ : નકાસંગ્રહ. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફાહનામાવલિ:૧. [શ્ર.ત્રિ.]