ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગુણનિધાન સૂરિ શિષ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ગુણનિધાન(સૂરિ)શિષ્ય [ઈ.૧૫૩૪માં હયાત] : જૈન. અંચલગચ્છના ભાવસાગરશિષ્ય ગુણનિધાનસૂરિના શિષ્ય. ‘સેવક’ને નામે નોંધાયેલી ૧૨૨ કડીની ‘આદિનાથદેવ-ધવલ/રાસ’ (ર.ઈ.૧૫૩૪/સં. ૧૫૯૦, કારતક સુદ ૯ ગુરુવાર)ના કર્તા. માત્ર ‘સેવક’ નામછાપવાળી ૪૬ કડીની ‘આર્દ્રકુમાર-વિવાહલો’, ૨૬ કડીની ‘નેમિનાથના ચંદ્રાવળા’, ૨૭ કડીની ‘ખંધકકુમાર-સઝાય’ અને ૫ કડીની ‘શાંતિજિન-આરતી’ એ કૃતિઓ આ કવિને નામે નોંધાયેલી મળે છે, પરંતુ એ અજ્ઞાતકર્તૃક ગણવી જોઈએ એમ લાગે છે. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૩(૧); ૨. મુપૂગૂહસૂચી.[કી.જો.]