ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગુણવિજય-ગુણવિજય ગણિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ગુણવિજય/ગુણવિજય(ગણિ) : ગુણવિજયગણિને નામે ૬૧૯ ગ્રંથાગ્રનો ‘ધમ્મિલકુમાર-પુણ્યપદ્મમકરન્દ-રાસ’ (ર.ઈ.૧૬૨૪) તથા ‘સિંહાસનબત્રીસી-ચોપાઈ’ (લે.ઈ.૧૬૬૯) નોંધાયેલ છે તેમ જ ગુણવિજયને નામે ‘અલ્પબહુત્વ’ પરનો બાલાવબોધ, ‘જિનસ્તવન-ચોવીસી’ (લે.સં. ૧૮મી સદી અનુ.), વિજયદેવસૂરિ વિશેની કેટલીક કૃતિઓ તથા કેટલાંક મુદ્રિત-અમુદ્રિત સ્તવન-સઝાય મળે છે. આ ગુણવિજય કયા છે તે નિશ્ચિત થઈ શકતું નથી. કૃતિ : ૧. અસસંગ્રહ; ૨. પ્રાસપસંગ્રહ:૧; ૩. સઝાયમાળા (પં.) સંદર્ભ : ૧ જૈગૂકવિઓ:૧; ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ:૧. [ક.શે.]