ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગુણસમુદ્ર સૂરિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ગુણસમુદ્ર(સૂરિ) [ઈ.૧૫૩૮ સુધીમાં] : જૈન સાધુ. ૧૩ કડીના ‘પાર્શ્વનાથ-સ્તવન’ (લે.ઈ.૧૫૩૮)ના કર્તા. એને પૌર્ણમિકગચ્છના ગુણસાગરસૂરિના શિષ્ય તરીકે ઓળખાવવામાં આવ્યા છે પણ એને માટે કશો આધાર નથી. સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]