ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગુણસાગર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ગુણસાગર : આ નામે ૧૯ કડીની ‘અઢીદ્વીપમુનિની સઝાય’ (મુ.), ‘શ્રી-સ્તવન’ (લે. સં. ૧૮મી સદી), ૨૮ કડીની ‘ચિંતામણિ-પાર્શ્વનાથવિનતિ-સ્તવન’ (લે. સં. ૧૯મી સદી અનુ.), ૪ ઢાળ અને ૨૪ કડીની ‘નરદુ:ખવર્ણનગર્ભિત-આદિનાથ-સ્તવન’ (લે.ઈ.૧૬૬૮; મુ.), ૧૬ કડીની ‘જંબૂસ્વામીની સઝાય’ ૧૬ કડીના ‘ખામણા’ તથા ૨૦ ગ્રંથાગ્ર ધરાવતી ‘પુણ્ય-સઝાય’ મળે છે. આ ગુણસાગર કયા છે તે સ્પષ્ટ થતું નથી. કૃતિ : ૧. જિસ્તકાસંદોહ:૨; ૨. મોસસંગ્રહ. સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ:૨; ૨. ડિકૅટલૉગભાવિ; ૩. મુપુગૂહસૂચી; ૪. રાહસૂચી:૨; ૫. હજૈજ્ઞાસૂચિ:૧. [ચ.શે.]