ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગુણહર્ષશિષ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ગુણહર્ષશિષ્ય [               ]: જૈન. ૨૩ કડીની ‘જિનદાસ-સોભાગદે-સઝાય/શિયલપાલન-સઝાય’ (મુ.)ના કર્તા ગુણહર્ષના કોઈ સાધુશિષ્ય હોય એમ જણાય છે પરંતુ ૪ કડીની ‘અગિયારશની સ્તુતિ’(લે.ઈ.૧૭૧૩) અને ૧૭ કડીની ‘ગૌતમસ્વામી-સ્તવન’ એ કૃતિઓના કર્તા ગુણહર્ષના કોઈ સાધુશિષ્ય છે કે અનુયાયી શ્રાવક છે તે નક્કી થઈ શકતું નથી. જુઓ લબ્ધિવિજય. કૃતિ : પ્રાસ્તસંગ્રહ. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૩(૧); ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ:૧.[કી.જો.]