ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગુલામઅલી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ગુલામઅલી [અવ. ઈ.૧૭૯૭] : દેલમી ઉપદેશક પરંપરાની નિઝારી સૈયદ. પીર સદરુદ્દીનના કડીમાં વસેલા વંશજોમાંના આ સૈયદે કચ્છના કેરા ગામમાં સ્થાયી વસવાટ કરી ધર્મોપદેશનું કામ કરેલું. એ ‘ગુલમાલીશાહ’ને નામે જાણીતા થયેલા. કરાંચીમાં અવસાન. મકબરો કેરામાં. એમને નામે દોહરા-ચોપાઈબદ્ધ ‘મનહર’ નામનો જ્ઞાનબોધક પદોનો સંગ્રહ (*મુ.) મળે છે ને મુખ્યત્વે હિંદી ભાષાના ગણાય એવા કોઈક છૂટક પદ પણ મુદ્રિત મળે છે. કૃતિ : સૈઇશાગીસંગ્રહ:૪(+સં.). સંદર્ભ : ૧. ક્લેક્ટૅનિયા:૧, સં. ડબલ્યૂ. ઇવાનૉવ, ઈ.૧૯૪૮; ૨. ખોજાવૃત્તાંત, સચેદીના નાનજીઆણી, *ઈ.૧૮૯૨, ઈ.૧૯૧૮ (બીજી આ.); ૩. *બિબ્લિઓગ્રાફી ઑવ ઇસ્લાઈલી લિટરેચર, સં. આઈ.કે. પૂનાવાલા, ઈ.૧૯૭૭; ૪. મહાગુજરાતના મુસલમાનો: ૧-૨, કરીમ મહમદ માસ્તર, ઈ.૧૯૬૯. [પ્યા.કે.]