ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગોવિંદરામ-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ગોવિંદરામ-૧  [ઈ.૧૬મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. ગોસાંઈજી એટલે કે વિઠ્ઠલનાથજી (ઈ.૧૫૧૬-ઈ.૧૫૮૬)ના સેવક. કૃષ્ણ ગોકુળ છોડી મથુરા ગયા ત્યારે ગોપીઓ અને માતા જસોદાએ ભોગવેલી વિરહદશાને વર્ણવતી ૫૨ કડીની ‘ભ્રમર-ગીતા’ (લે. ઈ.૧૮૪૧; મુ.) આ કવિની ૧ લાંબી રચના છે. એમના ‘ગોવિંદ’ કે ‘જન ગોવિંદ’ નામછાપ ધરાવતાં ૩ ધોળ (મુ.) મળે છે જેમાંથી ૧ વિઠ્ઠલનાથજી વિશેનું છે. કૃતિ : ૧. ભ્રમરગીતા (+સં.);  ૨. અનુગ્રહ, ઑગસ્ટ ૧૯૫૮ - ‘ભ્રમરગીતા’, સં. ચીમનલાલ મ. વૈદ્ય. સંદર્ભ : પુગુસાહિત્યકારો.[કી.જો.]