ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગોવિંદરામ-ગોવિંદાસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ગોવિંદરામ/ગોવિંદાસ : ગોવિંદરામ/ગોવિંદદાસને નામે ‘રુક્મિણી વિવાહ/રુક્મિણીહરણ’ (લે.ઈ.૧૭૩૪) તથા ગોવિંદરામને નામે ‘સુભદ્રાહરણ’ (લે.ઈ.૧૭૨૬) તેમ જ કેટલાંક મુદ્રિત-અમુદ્રિત પદો મળે છે. ઉપરાંત, સં. ૧૯મી સદીમાં પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ ગોવિંદરામનો પણ ઉલ્લેખ થયેલો છે. આ ગોવિંદરામ કયા છે તે નિશ્ચિત થતું નથી. કૃતિ : ૧. દુર્લભ ભજનસંગ્રહ, પ્ર. ગોવિંદભાઈ રા. ધામેલિયા ઈ.૧૯૫૮; ૨. પ્રાકાસુધા:૧. સંદર્ભ : ૧. કવિચરિત:૩; ૨. પુગુસાહિત્યકારો;  ૩. આલિસ્ટઑઇ:૨; ૪. ગૂહાયાદી.[ચ.શે.]