ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ચ/ચંદ્રલાભ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ચંદ્રલાભ [ઈ.૧૬મી સદી પૂર્વાર્ધમાં હયાત] : અંચલગચ્છના જૈન સાધુ. ૨૪૩ કડીના ‘ચતુષ્પર્વી-ચોપાઈ/રાસ’ (ર.ઈ.૧૫૧૬/૧૫૧૮), ૩૩ કડીના ‘(વરકાણા)પાર્શ્વનાથ-સ્તવન’ અને ૧૧ કડીના ‘ગોડીપાર્શ્વનાથ-સ્તવન’ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૩(૧); ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ:૧. [શ્ર.ત્રિ.]