ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ચ/ચારિત્રધર્મ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ચારિત્રધર્મ [ઈ.૧૭૩૫માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. ‘રામાયણ-ચોપાઈ’ (ર.ઈ.૧૭૩૫/સં. ૧૭૯૧, આસો સુદ ૧૦)ની રચના તેમણે વિદ્યાકુશલની સાથે કરી છે. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬ - ‘જૈસલમેરકે જૈન જ્ઞાનભંડારોંકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રન્થોંકી સૂચી’, અગરચંદ નાહટા. [શ્ર.ત્રિ.]