ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ચ/ચારિત્રનંદી-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ચારિત્રનંદી-૧ [ઈ.૧૯મી સદી મધ્યભાગ] : ખરતરગચ્છના જૈન સાધુ. મહિમાતિલકની પરંપરામાં નિધિઉદયના શિષ્ય. ‘પંચકલ્યાણકપૂજા’ (ર.ઈ.૧૮૩૩/સં. ૧૮૮૯, ફાગણ વદ ૮) ‘એકવીસપ્રકારી પૂજા’ અને ‘નવપદ-પૂજા’ના કર્તા. કવિએ પોતાના ‘રત્નસાર્ધશતક’ (ઈ.૧૮૫૩) નામના, સંભવત: સંસ્કૃત ગ્રંથમાં ગુરુનામ નવનિધિ-ઉદય-વાચક આપ્યું છે. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૩(૧,૨). ૨. હેજૈજ્ઞાસૂચિ:૧.[શ્ર.ત્રિ.]