ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ચ/ચારિત્ર ગણિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ચારિત્ર(ગણિ) [ઈ.૧૪મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. ૯ કડીમાં જિનચંદ્રસૂરિ (આચાર્યકાળ ઈ.૧૨૮૫-ઈ.૧૩૨૦)ની પ્રશસ્તિનું ગાન કરતા ‘જિનચંદ્રસૂરિ-રેલુયા’ના કર્તા. આ કવિને નામે ૯ કડીની ‘જિનચંદ્રસૂરિ-પહા’ નોંધાયેલ છે તે ઉપર્યુક્ત કૃતિ જ છે કે કેમ તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. સંદર્ભ : ૧. ઉત્તર-અપભ્રંશનો સાહિત્યવિકાસ, વિધાત્રી અ. વોરા, ઈ.૧૯૭૬;  ૨. જૈન સત્યપ્રકાશ, જુલાઈ ૧૯૫૪ - ‘રેલુઆ’ સંજ્ઞક પાંચ રચનાએં’, અગરચંદ નાહટા;  ૩. જૈમગૂકરચનાએં:૧. [શ્ર.ત્રિ.]