ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ચ/ચારુચંદ્ર ગણિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ચારુચંદ્ર(ગણિ) [ઈ ૧૬મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જયસાગરની પરંપરામાં ભક્તિલાભ-ચારિત્રસારના શિષ્ય. ‘હરિબલ-ચોપાઈ’ (ર.ઈ.૧૫૨૫/સં. ૧૫૮૧, આસો સુદ ૩), ૫૧૫ કડીના ‘મહાબલમલયસુંદરી-રાસ’, ૨૦૫ કડીની ‘રતિસારકેવલી-ચોપાઈ’, ૪૦ કડીની ‘નંદનમણિયાર-સંધિ’ (ર.ઈ.૧૫૩૧/સં. ૧૫૮૭, ફાગણ -), ૨૯ કડીના ‘પંચતીર્થી-સ્તવ’ (ર.ઈ.૧૫૪૨/સં. ૧૫૯૮, આસો -) તથા ૧૧ કડીના ‘યુગમંધર-ગીત’ના કર્તા. એમણે ૪૧ કડીનું ‘ભાષાવિચારપ્રકરણ -સાવચૂરિ’ રચેલ છે તે અવચૂરિ તથા ૫૭૫ કડીનું ‘ઉત્તમકુમાર-ચરિત્ર’ (લે.ઈ.૧૫૧૬, સ્વલિખિત; *મુ.) સંસ્કૃત ભાષાની કૃતિઓ હોય તેમ જણાય છે. સંદર્ભ : ૧. ઐજૈકાસંગ્રહ; ૨. જૈસાઇતિહાસ;  ૩. જૈન સત્યપ્રકાશ, સપ્ટે. ૧૯૫૪ - ‘ભક્તિલાભોપાધ્યાયકા સમય ઔર ઉનકે ગ્રંથ’, અગરચંદ નાહટા;  ૪. જૈગૂકવિઓ:૩(૧,૨). [શ્ર.ત્રિ.]