ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ચ/ચારુદત્ત-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ચારુદત્ત-૧ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનકુશલસૂરિની પરંપરામાં ઉપાધ્યાય હંસપ્રમોદના શિષ્ય. ‘સેત્રાવા-સ્તવન’ (ર.ઈ.૧૬૨૦/સં. ૧૬૭૬, શ્રાવણ સુદ ૧), ‘કુશલસૂરિ-સ્તવન’ (ર.ઈ.૧૬૪૦/સં. ૧૬૯૬, માગશર વદ ૭) અને ‘મુનિસુવ્રત-સ્તવન’ (ર.ઈ.૧૬૪૦)ના કર્તા. સંદર્ભ : યુજિનચંદ્રસૂરિ.[શ્ર.ત્રિ.]