ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ્ઞ/જ્ઞાનકુશલ-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


જ્ઞાનકુશલ-૨ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. સુમતિસાગરની પરંપરામાં કીર્તિકુશલના શિષ્ય. ૪ ખંડ, ૫૬ ઢાળ અને ૧૮૮૫ કડીની ‘પાર્શ્વનાથ-ચરિત્ર/શંખેશ્વરપાર્શ્વ-પ્રબંધ’ (ર.ઈ.૧૬૫૧/સં. ૧૭૦૭, માગશર વદ ૪; લે. ઈ.૧૬૬૫, સ્વલિખિત પ્રત)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૨.[કા.શા.]