ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ્ઞ/જ્ઞાનકુશલ-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


જ્ઞાનકુશલ-૧ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનરાજસૂરિ-જિનરંગસૂરિના શિષ્ય. તેમનું ૫ કડીનું ‘જિનરંગસૂરિ-ગીત’ (મુ.) મળે છે તેમાં જિનરંગ સૂરિનો પાઠક રંગવિજય એ નામથી જ ઉલ્લેખ છે એટલે એ કૃતિ રંગવિજયને નામે દીક્ષિત (ઈ.૧૬૨૨) આ ગુરુ ઉપાધ્યાય બન્યા તે અરસામાં રચાયેલી ગણાય. કૃતિ : ઐજૈકાસંગ્રહ (+સં.):.[કા.શા.]