ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ્ઞ/જ્ઞાનચંદ્ર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


જ્ઞાનચંદ્ર : આ નામે ‘ચિત્રસંભૂતિ-રાસ’, ‘જિનપાલિત-જિનરક્ષિત-રાસ’, ભૂલથી ‘શીતલતરુ-રાસ’ને નામે ઉલ્લેખાયેલ ‘શીલ-રાસ’, ‘શીલપ્રકાશ’, ‘સંખ્યાતાઅસંખ્યાતા- વિચાર’ (લે. સં. ૧૯મી સદી અનુ.), ‘જિનસ્તવન-ચોવીસી’ (લે. સં. ૧૯મી સદી અનુ.), ‘જિનસ્તવન-ચોવીસી’ (લે. સં. ૧૮મી સદી અનુ.) તથા ‘સંભવજિન-પદ’ મળે છે તે કયા જ્ઞાનચંદ્ર છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. ૪૧ ઢાળ અને આશરે ૫૯૫ કડીની ધર્મબોધપ્રધાન ‘કેશીપ્રદેશીપ્રતિબોધ-રાસ/પરદેશી રાજાનો રાસ’ (લે.ઈ.૧૬૪૨; મુ.) સુમતિસાગરશિષ્ય જ્ઞાનચંદ્રની ગણાવાયેલી છે પરંતુ કૃતિમાંથી એને માટે કશો આધાર મળતો નથી. એ કાવ્યમાં આવતી ‘જગતગુરુશ્રી દયાધર્મ જયકાર’ એ પંક્તિને કારણે ગુરુનામ દયાધર્મ હોવાનું પણ મનાયું છે પરંતુ, ‘દયાધર્મ’ શબ્દ સામાન્ય અર્થનો વાચક હોઈ એ ઉચિત જણાતું નથી. જિનસાગરસૂરિના રાજ્યકાળ (ઈ.૧૬૧૮-ઈ.૧૬૬૪)માં રચાયેલી ‘ઋષિદત્તા-ચોપાઈ’ પણ સુમતિસાગરશિષ્ય તેમજ ગુણસાગરશિષ્ય જ્ઞાનચંદ્રને નામે મુકાયેલી મળે છે તેમાંથી કઈ હકીકત યથાર્થ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. કૃતિ : પ્રાચીન જૈન રાસ સંગ્રહ : ર. પ્ર. જીવણલાલ છ. સંઘવી, ઈ.૧૯૭૩. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧,૩(૧); ૨. જૈહાપ્રોસ્ટા; ૩. ડિકૅટલૉગભાઈ : ૧૯(૨); ૪. મુપુગૂહસૂચી, ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧ [કા.શા.]