ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ્ઞ/જ્ઞાનમૂર્તિ ઉપાધ્યાય-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


જ્ઞાનમૂર્તિ (ઉપાધ્યાય)-૧ [ઈ.૧૭મી સદી મધ્યભાગ] : અંચલગચ્છના જૈન સાધુ. ધર્મમૂર્તિસૂરિની પરંપરામાં ગુણમૂર્તિસૂરિના શિષ્ય. ૬ ખંડ, ૫૮ ઢાળ અને ૧૨૯૬ કડીની ‘રૂપસેનરાજર્ષિચરિત્ર-ચોપાઈ’ (ર. ઈ.૧૬૩૮/સં. ૧૬૯૪, આસો સુદ ૫), ‘બાવીસપરિષહ-ચોપાઈ (ર.ઈ.૧૬૬૯), ‘પ્રિયંકર-ચોપાઈ’ તથા ગદ્યમાં ‘સંગ્રહણી-બાલાવબોધ’ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧, ૨); ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧.[શ્ર.ત્રિ.]