ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ્ઞ/જ્ઞાનવિજય-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


જ્ઞાનવિજય-૧ [ઈ.૧૬૬૭માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનરાજસૂરિની પરંપરામાં જિનચંદ્રસૂરિના શિષ્ય. ‘દશવૈકાલિક-દશ-અધ્યયન-સઝાય/દશવૈકાલિકસૂત્ર-સઝાય’ (ર.ઈ.૧૬૬૭)ના કર્તા. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧.[શ્ર.ત્રિ.]