જ્ઞાનશીલ-૧ [ઈ.૧૫૦૪માં હયાત] : જૈન સાધુ. ‘સુપનવિચાર-ચોપાઈ’ (ર.ઈ.૧૫૦૪)ના કર્તા. સમય જોતાં આ કવિ હેમવિમલસૂરિ (આચાર્યકાળ ઈ.૧૪૯૨થી ઈ.૧૫૨૭)ના શિષ્ય. જ્ઞાનશીલ હોવાની શક્યતા છે.