ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ્ઞ/જ્ઞાનસાગરશિષ્ય-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


જ્ઞાનસાગરશિષ્ય-૨ [               ]: સંભવત: તપગચ્છના જૈન સાધુ. પુણ્યસાગરના શિષ્ય જ્ઞાનસાગરના શિષ્ય. ૧૨૦૦ ગ્રંથાગ્રના ‘સમ્યકત્વ સ્તવ-બાલાવબોધ’ના કર્તા. ‘જ્ઞાનઉદ્યોત’ને નામે રચના કરતા જ્ઞાનસાગરશિષ્ય ઉદ્યોગસાગરની ‘સમ્યકત્વમૂલ બારવ્રતવિવરણ’ને મળતી જ એકબે પંક્તિ આ કૃતિમાં મળે છે તેથી આ કૃતિ પણ તેમની હોવાની શક્યતા છે. કૃતિ : પ્રકરણરત્નાકર : ૨, પ્ર. ભીમસિંહ માણેક, ઈ.૧૮૭૬. સંદર્ભ : જૈહાપ્રોસ્ટા. [કા.શા.]