ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ્ઞ/જ્ઞાનસાગર બ્રહ્મ-૩-જ્ઞાનસમુદ્ર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


જ્ઞાનસાગર[બ્રહ્મ)-૩/જ્ઞાનસમુદ્ર [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : દિગંબર, કાષ્ઠાસંઘના જૈન સાધુ. શ્રીભૂષણના શિષ્ય. કવિના ગુરુ શ્રીભૂષણે (ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ) મૂળ સંસ્કૃતમાં લખેલી કૃતિ ‘અનંતવ્રત’નું જેમાં અનુકરણ કરવામાં આવ્યું છે તે ૫૪ કડીની ‘અનંતચતુર્દશી કથા’, ૫૩ કડીની ‘અઠાહીવ્રતકથા/અષ્ટાહ્નિકાવ્રતકથા’, ૭૯ કડીની ‘આકાશપંચમીકથા’, ૫૫ કડીની ‘દશલાક્ષણિકકથા’, ૪૧ કડીની ‘નિર્દોષ સપ્તમીકથા’, ‘નિસલ્યષષ્ટમી વ્રતકથા,’ ‘નેમરાજુલ-બત્રીસી’, ૪૪ કડીની ‘રત્નત્રયવ્રતકથા’, ૪૩ કડીની ‘સુગંધદશમી વ્રતકથા’, ૩૪ કડીની ‘સોલકારણવ્રતકથા’ અને ‘શ્રાવણદ્વાદશીકથા’ એ કૃતિઓના કર્તા. સંદર્ભ : ૧. જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ૨, હીરાલાલ કાપડિયા, ઈ.૧૯૬૮;  ૨. કેટલૉગગુરા; ૩. જૈગૂકવિઓ : ૩ (૨).[કા.શા.]