ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ્ઞ/જ્ઞાનસુંદર-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


જ્ઞાનસુંદર-૨ [ઈ.૧૬૬૦માં હયાત] : ખરતર ગચ્છના જૈન સાધુ. જિનસિંહસૂરિની પરંપરામાં વિજયકીર્તિગણિ-ચારિત્રકુશલગણિના શિષ્ય. ‘મચ્છોદર-ચોપાઈ’ (ર.ઈ.૧૬૬૦/સં. ૧૭૧૬ કારતક વદ ૧૩-ધનતેરસ)ના કર્તા. આ કવિ ભૂલથી અભયવર્ધનશિષ્ય ગણાવાયા છે. સંદર્ભ : મુપુગૂહસૂચી.[શ્ર.ત્રિ.]