ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ્ઞ/જ્યેષ્ઠમલ્લ-જેઠમલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


જ્યેષ્ઠમલ્લ/જેઠમલ : ‘જેઠમલ’ને નામે ૧૪ કડીની ‘ગુણગ્રાહક થવા વિશેની સઝાય’ (મુ.) તથા ‘જ્યેષ્ઠમલ્લ’ને નામે ૧૬ કડીની ‘સમવસરણની સઝાય’ (ર.ઈ.૧૭૯૭; મુ.) અને હિન્દી ભાષામાં ‘શીતળનાથ સ્વામીનું સ્તવન’ (મુ.) મળે છે તે જ્યેષ્ઠમલ્લ-૧ છે કે કેમ તે ખાતરીપૂર્વક કહી શકાય તેમ નથી. કૃતિ : ૧. જૈન સ્વાધ્યાય મંગળમાળા : ૧, સં. મુનિ શ્રી શામજી, ઈ.૧૯૬૨; ૨. વિવિધ પુષ્પવાટિકા : ૨, સં. મુનિશ્રી પૂનમચંદ્રજી, ૧૯૮૨ (સાતમી આ.)[શ્ર.ત્રિ.]