ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ્ઞ/જ્યેષ્ઠમલ્લ-૧-જેઠા ઋષિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


જ્યેષ્ઠમલ્લ-૧/જેઠા (ઋષિ) [ઈ.૧૮૨૩માં હયાત] : જૈન સાધુ. ઋષિ રૂપચંદના શિષ્ય. ‘સમકિતસાર પ્રશ્નોત્તરપચ્ચીસી-સઝાય’ (ર.ઈ.૧૮૨૩) તથા ૨૪ કડીની ‘ચિત્ત અને બ્રહ્મદત્તની સઝાય’ (મુ.)ના કર્તા. કૃતિ : ૧. જૈસમાલા (શા.) : ૨; ૨. જૈસસંગ્રહ (જૈ.). સંદર્ભ : મુપુગૂહસૂચી.[ર.ર.દ.]