ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જગજીવન-૪

From Ekatra Wiki
Jump to navigation Jump to search


જગજીવન-૪ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ) : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. દાદા નારાયણજીની પુત્રીઓના વંશમાં આશરે ઈ.૧૮૦૪માં જન્મ. આરંભમાં આગ્રામાં નિવાસ. ઈ.૧૮૪૪માં ભરૂચ આવી વસ્યા. તેમની પાસેથી પદ તથા ધોળ જેવી રચનાઓ મળે છે. સંદર્ભ : ગોપ્રભકવિઓ.[કી.જો.]