ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જગન્નાથ-જગન્નાથરાય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


જગન્નાથ/જગન્નાથરાય : ‘જગન્નાથરાય’ની નામછાપથી ‘કૃષ્ણચરિત્ર’ (મુ.) ‘જગન્નાથ’ની નામછાપ ધરાવતી પણ જગન્નાથરાયને નામે મુકાયેલી ‘થાળ’(મુ.) તથા ‘જગન્નાથ’ને નામે કૃષ્ણપ્રીતિનું ૧ પદ (મુ.) અને ‘રાસલીલાનું કાવ્ય’ એ કૃતિઓ મળે છે. તે કયા જગન્નાથ કે જગન્નાથરાય છે તે નિશ્ચિત થતું નથી. જગન્નાથને નામે ‘માર્કંડેય-આખ્યાન’ (ર.ઈ.૧૬૯૬) નોંધાયેલ મળે છે તે કદાચ જગન્નાથ-૧ હોય. જગન્નાથને નામે ૩૩ કડીની ‘ગુરુ-ચરિત્ર’ (ર.ઈ.૧૭૦૪) એ કૃતિ પણ નોંધાયેલી છે. એના કર્તા જૈન હોવાનું સમજાય છે. અને તે જગન્નાથ-૨ હોવાની શક્યતા છે. કૃતિ : ૧. નકાદોહન; ૨. પ્રાકાસુધા:૨. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત;  ૨. ગૂહાયાદી; ૩. હેજૈજ્ઞાસૂચિ:૧.[ર.સો; શ્ર.ત્રિ.]