ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જગન્નાથ-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


જગન્નાથ-૧ [ઈ.૧૭૦૫ સુધીમાં] : દામોદરસુત. રોળા-દોહરાની ૬૮ કડીના, યમકસાંકળી, પ્રાસ તથા અલંકારયુક્ત ‘સુદામાચરિત્ર/સુદામો’ (લે.ઈ.૧૭૦૫; મુ.)ના કર્તા. કૃતિ : મહાકવિ પ્રેમાનંદ અને બીજા આઠ કવિઓનાં સુદામાચરિત્ર, સં. મંજુલાલ મજમુદાર, ઈ.૧૯૨૨ (+સં.). સંદર્ભ : ગૂહાયાદી. [ર.સો.]