ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જયવિજય-૪

From Ekatra Wiki
Jump to navigation Jump to search


જયવિજય-૪ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગગચ્છના જૈન સાધુ. ગુણવિજયના શિષ્ય. વિજયપ્રભસૂરિની પ્રશસ્તિ કરતી, એમના આચાર્યકાળ(ઈ.૧૬૪૫-ઈ.૧૬૯૩)માં રચાયેલી ૯ કડીની ‘વિજયપ્રભસૂરીશ્વર-સઝાય’ (મુ.)ના કર્તા. કૃતિ : ઐસમાલા :૧.[ર.ર.દ.]