ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જસરાજ મુનિ-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


જસરાજ(મુનિ)-૧ [ઈ.૧૬૬૯માં હયાત] : લોંકાગચ્છના જૈન સાધુ. લોંકાગચ્છના શિવજીશિષ્ય સંઘજી/સંઘરાજજીને આચાર્યપદ મળ્યું ત્યાં સુધીના એના જીવનવૃત્તાંતને વર્ણવતા ૪૦ કડીના સલોકા (ર.ઈ.૧૬૬૯/સં. ૧૭૨૫, ફાગણ સુદ ૨, મંગળ/શુક્રવાર)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી.[શ્ર.ત્રિ.]