ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જસોમા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


જસોમા [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : વેલાબાવાનાં પત્ની. જ્ઞાતિએ કોળી. વેલનાથ સમાધિસ્થ થતાં તેના વિરહભાવને આધ્યાત્મિકતાથી રંગીને વર્ણવતા ૧ પદ(મુ.)ના કર્તા. ગિરનારની શિલા નીચે વેલનાથ સમાધિસ્થ થતાં ગવાયેલા આ પદથી શિલા ફરી ઊઘડે છે અને અંદર સમાઈ જાય છે એવી કથા છે. કૃતિ : સોરઠી સંતો, સં. ઝવેરચંદ મેઘાણી, *ઈ.૧૯૨૮ (પહેલી આ.), ૧૯૭૯ (પાંચમી આ.નું પુનર્મુદ્રણ.). [કી.જો.]