ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જીવ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


જીવ  : “જીવ લહે ભવપાર” અને “જીવ વરે શિવનારી” એવી પંક્તિઓ ધરાવતી અનુક્રમે ‘વીસવિહરમાન જિન-ચૈત્યવંદન’ (મુ.) તથા ‘આપસ્વભાવની સઝાય’ (મુ.) એ કૃતિઓમાં ‘જીવ’ કર્તાનામ ગણવું કે કેમ તે પ્રશ્ન છે. ઉપરાંત એ જીવ કયા છે તે પણ નિશ્ચિત થઈ શકે તેમ નથી. કૃતિ : ૧. જિભપ્રકાશ; ૨. જૈસસંગ્રહ (ન.); ૩. મોસસંગ્રહ. [કી.જો.]