ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જેઠો-૫

From Ekatra Wiki
Jump to navigation Jump to search


જેઠો-૫ [               ]: કુતિયાણા (સૌરાષ્ટ્ર)ના રહીશ. જ્ઞાતિએ ભરવાડ. કોમ-ધર્મના ભેદભાવથી પર આ કવિ કોઢથી પીડાતા હશે તે મટાડવા ગિરનારમાં દાતારને ડુંગરે પીર જમિયલને શરણે ગયા હશે - એવી માન્યતા છે. ‘જેઠીરામ’ને નામે પણ ભૂલથી ઉલ્લેખાયેલા આ કવિ ‘જેઠો રામનો’ તરીકે ઓળખાવે છે તેથી રામભક્ત હોવા સંભવ છે. તેમણે દાતારનો, ગિરનારના મેળાનો અને પરકમ્માનો મહિમા ગાતા, ઉપદેશાત્મક તથા રામાયણ વિષયક છકડિયા દુહાઓ (મુ.) રચ્યા છે. કૃતિ : ૧. કાઠિયાવાડી સાહિત્ય : ૧ અને ૨, સં. ક્હાનજી ધર્મસિંહ, ઈ.૧૯૨૩ (+સં.); ૨. પરકમ્મા; ઝવેરચંદ મેઘાણી, ઈ.૧૯૪૬. (+સં.).[શ્ર.ત્રિ.]