ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ત/તેજબાઈ
Jump to navigation
Jump to search
તેજબાઈ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : સંતરામ મહારાજનાં શિષ્યા અને સમકાલીન. વતન નડિયાદ. વૈરાગ્યબોધક ૪ કડીનું ૧ પદ મુદ્રિત મળે છે અને સંતરામ મહારાજવિષયક કેટલાંક પદો રચ્યાં હોવાનો ઉલ્લેખ મળે છે.
કૃતિ : પદસંગ્રહ, પ્ર. સંતરામ સમાધિસ્થાન, નડિયાદ, સં. ૨૦૩૩ (ચોથી આ.).
સંદર્ભ : પ્રાકકૃતિઓ.[શ્ર.ત્રિ.]