ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દયાળદાસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


દયાળદાસ [જ. ઈ.૧૭૭૯/સં. ૧૮૩૫, શ્રાવણ સુદ ૭ - અવ. ઈ.૧૮૬૧/સં. ૧૯૧૭, જેઠ સુદ ૫] : જ્ઞાનમાર્ગી સંતકવિ. નિરાંત મહારાજના શિષ્ય અને વડોદરામાં વાડીની જ્ઞાનગાદીના આયાર્ય. જન્મ કરમડી (તા. કરજણ). જ્ઞાતિએ લેઉઆ પાટીદાર. પિતા કુબેરભાઈ.જન્મથી જ પ્રજ્ઞાચક્ષુ આ કવિની મુદ્રિત કૃતિઓ આ પ્રમાણે મળે છે : કાયાનગરના મન-સૂબાની પુત્રી સુરતાબાઈના આત્મરામ સાથેના વિવાહને વર્ણવતું, ૭ ‘કડવાં’ નામક પદનું રૂપકકાવ્ય ‘સુરતાનો વિવાહ’, જ્ઞાનબોધના ‘બારમાસ’ તથા વિશ્વંભરનાથને નીરખી લેવાનો ઉપદેશ આપતા અધ્યાત્મ-અનુભવરંગી ‘બારમાસ’, આત્મબોધની અને સુરતીની એણ ૨ ‘તિથિ’, ‘સાતવાર’ તથા પ્રકીર્ણ પદો. ગરબી, ધોળ, કાફી વગેરે પ્રકારોમાં ચાલતાં અને ક્યારેક હિન્દીભાષાનો આશ્રય લેતાં એમનાં પદો મુખ્યત્વે અધ્યાત્મજ્ઞાનવિષયક છે. કૃતિ : ૧. ગુમુવાણી; ૨. જ્ઞાનોદયપદ સંગ્રહ, સં. કેવળરામ કાલુરામ ભગત, -; ૩. (શ્રી) દિવ્ય ગિરામૃત, દેવશંકર શર્મા, ઈ.૧૯૩૨; ૪. બૃકાદોહન : ૫. સંદર્ભ : નિરાંતકાવ્ય, સં. ગોપાળરામ શર્મા, ઈ.૧૯૩૯.[દે.દ.]