ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દયાસિંહ ગણિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


દયાસિંહ(ગણિ) [ઈ.૧૪મી સદી અંતભાગ ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ] : વૃદ્ધતપાગચ્છ-રત્નાકરગચ્છના જૈન સાધુ. જયતિલસૂરિના શિષ્ય. આચાર્યપદ ઈ.૧૩૯૬. ૧૭૫૭ ગ્રંથાગ્રના ‘સંગ્રહણી પ્રકરણ-બાલાવબોધ’ (ર. ઈ.૧૪૪૧/સં. ૧૪૯૭, બીજા શ્રાવણ સુદ ૧૪, શુક્રવાર) તથા ૪૮૬૭ ગ્રંથાગ્રના ‘લઘુક્ષેત્રસમાસ પ્રકરણ-બહાલાવબોધ’ (ર.ઈ.૧૪૭૩/સં. ૧૫૨૯, મહાવદ ૧૧, શનિવાર)ના કર્તા. એમણે સંસ્કૃતમાં ‘મલયાસુંદરી-ચરિત્ર’ આદિ કેટલાંક ચરિત્રગ્રંથો ને સ્તવનો રચ્યાં હોવાની માહિતી મળે છે. સંદર્ભ : ૧. જૈન પરંપરાનો ઇતિહાસ : ૩, મુનિશ્રી દર્શનવિજય વગેરે, ઈ.૧૯૬૪;  ૨. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૩. મુપુગૂહસૂચી; ૪. લીંહસૂચી; ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.] દયાસૂર [ઈ.૧૮૦૪ સુધીમાં] : કર્તાનામ દયાસૂરિ હોઈ શકે અથવા ગુરુશિષ્યનાં નામ જોડાયેલાં હોય તો દયાશિષ્ય સૂર પણ હોઈ શકે. એમને નામને ‘સરસ્વતી-છંદ’ તથા ૪ કડીની ‘ચોવીસ જિનની થોય’ (લે. ઈ.૧૮૦૪) મળે છે. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. રાહસૂચી : ૧.[શ્ર.ત્રિ.]