ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દયા-દયો

From Ekatra Wiki
Jump to navigation Jump to search


દયા/દયો : આ નામોથી ૬૬ કડીની ‘સત્યભામાનું રૂસણું’ (મુ.) તથા ૯ કડીની શિવજીની સ્તુતિ (મુ.) મળે છે પરંતુ આ કૃતિઓના કર્તા કયા દયા છે તે વિશે નિશ્ચિતપણે કંઈ કહી શકાય તેમ નથી. કૃતિ : ૧. અંબિકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. બુકસેલર સાકરલાલ બુલાખીદાસ, ઈ.૧૯૨૩ (ત્રીજી આ.); ૨. દેવી મહાત્મ્ય અથવા ગરબાસંગ્રહ : ૨, પ્ર. વિશ્વનાથ ગો. દ્વિવેદી, ઈ.૧૮૯૭.[કી.જો.]