ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દીપવિજ્ય-૧ દીપ્તિવિજ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


દીપવિજ્ય-૧/દીપ્તિવિજ્ય [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદાનસૂરિની પરંપરામાં પંડિત માનવિજ્યના શિષ્ય. આ કવિએ રચેલો ૩ અંક (=૩ ખંડ) અને ૩૧ ઢાળનો દુહાદેશી બદ્ધ ‘મંગલકલશ-રાસ’  (ર.ઈ.૧૬૯૩/સં. ૧૭૪૯, આસો સુદ ૧૫; મુ.) ઉપકથાઓને ગૂંથી લેતા એના કૌતુક રસિક વૃત્તાંત તથા પ્રાસાદિક અભિવ્યક્તિને કારણે આસ્વાદ્ય બને છે. આ ઉપરાંત કવિએ ‘ક્યવન્ના/કૃતપુણ્ય-રાસ’ (ર.ઈ.૧૬૭૮/સં. ૧૭૩૫, આસો સુદ ૫, બુધવાર) રચેલ છે. કૃતિ : મંગલકલશ કુમારનો રાસ, પ્ર.શા. ભીમસિંહ માણક, ઈ.૧૯૦૯. સંદર્ભ : જૈગૂકવિઓ : ૨, ૩(૨).[ર.સો.]