ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દીપવિમળ-વિમળદીપ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


દીપવિમળ/વિમળદીપ [                ] : જૈન સાધુ. નેમિનાથ આવે છે ને વરદત્તકુમાર આદિ એમની દેશના સાંભળી દીક્ષા લે છે તેવા કથાવસ્તુવાળી ૭ કડીની ‘નેમિનાથ-સઝાય/વરદત્તકુમારની સઝાય’ (મુ.)ના કર્તા. ઘણા મુદ્રિત પાઠમાં આ કૃતિના કર્તાનું નામ ‘વિમળદીપ’ પણ મળે છે. કૃતિ : ૧. જૈન સ્વાધ્યાય મંગળમાલા : ૧, સં. મુનિશ્રી શામજી, ઈ.૧૯૬૨; ૨. જૈસસંગ્રહ (જૈ); ૩. જૈસસંગ્રહ (ન.); ૪. સઝાયમાલા ૧-૨ (જા.). સંદર્ભ : ગુજૂકહકીકત.[ર.સો.]