ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેલ્હાણ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


દેલ્હાણ [                ] : જૈન શ્રાવક હોવા સંભવ. વદનક અને ચોપાઈનાં ૧૬ યુગ્મો સાથે આરંભ અંતની ૨ ચોપાઈ મળીને કુલ ૩૪ કડીના અને અપ્રભંશપ્રધાન ગુજરાતી ભાષામાં રચાયેલા ‘ગજસુકુમાલ-રાસ’ (લે. સં. ૧૪મી સદી અનુ; મુ.)ના કર્તા. કૃતિ દેવેન્દ્રસૂરિના વચનથી રચાયેલી છે તે જગતચંદ્રસૂરિ શિષ્ય દેવેન્દ્રસૂરિ (અવ. ઈ.૧૨૭૧) હોય તો કર્તા ઈ.૧૨મી સદી ઉત્તરાર્ધમાં હયાત ગણાય. કૃતિ : ૧. પ્રાગુકાસંચય;  ૨. રાજસ્થાનભારતી, જુલાઈ ૧૯૫૧-‘ગયસુકુમાલ રાસ’ સં. અગરચંદ નાહટા. સંદર્ભ : મરાસસાહિત્ય. [કી.જો.]