ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવપ્રભ ગણિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


દેવપ્રભ(ગણિ) [ઈ.૧૪૬૬ સુધીમાં] : જૈન સાધુ. સોમતિલક સૂરિના શિષ્ય. આ કવિના રોળા અને વસ્તુ છંદના આશરે ૪૨ કડીના ‘કુમારપાલનરેશ્વર-રાસ’ (લે.ઈ.૧૪૬૬; મુ.)માં કુમારપાળ રાજાએ પોતાના રાજ્યમાંથી હિંસા, દ્યૂત વગેરે ૭ વ્યસનો દૂર કરાવ્યાં તેનું અને રાજાની શત્રુંજ્યયાત્રાનું તથા તેના મહિમાનું વર્ણન થયેલું છે. કૃતિ : ભારતીયવિદ્યા : ૨. શ્રાવણ ૧૯૯૮ - દેવપ્રભગણિકૃત ‘કુમારપાલ-રાસ’, સં. ભોગીલાલ જ. સાંડેસરા. સંદર્ભ : ૧. મરાસસાહિત્ય;  ૨. આલિસ્ટઑઇ : ૨; ૩. જૈગૂકવિઓ : ૧, ૩(૧). [કી.જો.]