ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેવવિજ્ય-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


દેવવિજ્ય-૧ [ઈ.૧૫૬૪માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યસૂરિના શિષ્ય. ૩ ઢાળ અને ૨૭ કડીની ‘ચંદનબાલા-સઝાય’ (ર.ઈ.૧૫૬૪/સં. ૧૬૨૦, વૈશાખ સુદ ૫, શનિવાર; મુ.) તથા ૮૬ કડીની મૌન એકાદશી-સઝાય’ના કર્તા. કૃતિ : જૈન સત્યપ્રકાશ, ફેબ્રુ.-માર્ચ ૧૯૪૩ - ચંદનબાલા સ્વાધ્યાય’ સં. સારાભાઈ મ. નવાબ. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. લીંહસૂચી; ૩. હૈજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]