ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધર્મદેવ ગણિ-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ધર્મદેવ(ગણિ)-૧ [ઈ.૧૪૫૯માં હયાત] : જૈન સાધુ. કીર્તિરત્નની પરંપરામાં ક્ષાંતિરત્નના શિષ્ય. ‘ષષ્ટિશતક’ પરની તપોરત્ન-ઉપાધ્યાયની ટીકા પર આધારિત બાલાવબોધ (ર.ઈ.૧૪૫૯)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [કી.જો.]