ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધર્મદેવ પંડિત-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ધર્મદેવ(પંડિત)-૨ [ઈ.૧૫મી સદી અંત-ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : પૂર્ણિમાગચ્છના જૈન સાધુ. ગુણધીરસૂરિની પરંપરામાં સૌભાગ્યરત્નસૂરિના શિષ્ય. ૨૮૪ કડીના ‘હરિશ્ચંદ્રરાજાનો રાસ’ (ર.ઈ.૧૪૯૮/સં. ૧૫૫૪, આસો સુદ ૬), ૩૮૨ કડીના ‘અજાપુત્ર-રાસ’ (ર.ઈ.૧૫૦૫) તથા ૧૧૦ કડીના ‘વ્રજ (વયર) સ્વામીનો રાસ’ (ર.ઈ.૧૫૦૭)ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૨, ડિકૅટલૉગભાઈ : ૧૯(૨); ૩. મુપુગૂહસૂચી; ૪. લીંહસૂચી. [કી.જો.]