ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નથુરામ-નથુ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


નથુરામ/નથુ [ઈ.૧૭૮૪ સુધીમાં] : તેમની, હિન્દીમિશ્ર ગુજરાતી ભાષામાં, રોળાવૃત્તનાં દૃષ્ટાંતો જેવા દોહરા-છપ્પામાં નિબદ્ધ ‘પાર્વતીલક્ષ્મી-સંવાદ’ (લે.ઈ.૧૭૮૪)માં લક્ષ્મી અને પાર્વતી વ્યાજોક્તિથી પરસ્પરના પતિની નિંદા કરે છે. આ તથા વિદુરનો કૃષ્ણ પ્રત્યેનો ભાવ વર્ણવતું ‘વિદુરભાવ’ એ ૨ કૃતિઓમાં નામછાપ માત્ર ‘નથુ’ મળે છે. આ ઉપરાંત આ કવિએ ‘કક્કો’, ‘ચેતવણી’ અને કેટલાંક પદો રચ્યાં હોવાની માહિતી મળે છે. સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુસારસ્વતો;  ૩. ગૂહાયાદી. [શ્ર.ત્રિ.]