ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નથુકલ્યાણ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


નથુકલ્યાણ [                ] : જૈન સાધુ. દીપવિજ્યના શિષ્ય. એમના એક પદમાં વડોદરાની હાથીપોળનો ઉલ્લેખ હોવાથી વડોદરાના તપગચ્છીય કવિ દીપવિજ્ય (ઈ.૧૮મી સદી અંત ભાગ-ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ)ના શિષ્ય હોવાની સંભાવના છે. તો આ કવિનો સમય ઈ.ની ૧૯મી સદીનો પૂર્વાર્ધ ગણી શકાય. તેમની પાસેથી ક્વચિત હિંદીની અસરવાળાં, ચારથી ૫ કડીનાં કેટલાંક સ્તવનો(મુ.) મળે છે. કૃતિ : ૧. જૈકાપ્રકાશ : ૧; ૨. જૈકાસંગ્રહ. [ર.સો.]