ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નયનકમલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


નયનકમલ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિના શિષ્ય. ‘નેમિનાથ-રાસ’ (ર.ઈ.૧૬૦૬/સં.૧૬૬૨, મહા સુદ ૫) અને ‘દ્રૌપદી-રાસ’ (ર.ઈ.૧૬૦૭/સં. ૧૬૬૩, વૈશાખ સુદ ૧૩) એ કૃતિઓ તેમણે રચી છે. સંદર્ભ : યુજિનચંદ્રસૂરિ. [કી.જો.]