ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નયણરંગ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


નયણરંગ [ઈ.૧૭૩૮ સુધીમાં] : જૈન સાધુ. ‘અર્બુદાચલબૃહત-સ્તવન’ (લે.ઈ.૧૭૩૮)ના કર્તા. કવિ ખરતરગચ્છના જિનચંદ્રસૂરિની પરંપરાના રાજલાભ (ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ)ના પ્રશિષ્ય હોવા સંભવ છે. સંદર્ભ : ૧. યુજિનચંદ્રસૂરિ;  ૨. જૈગૂકવિઓ : ૩(૨). [કી.જો.]